મહાન વ્યકતીઓના વિચારો (Mahan Vyaktiona Vicharo)

Shayar
0

 


નમસ્કાર મિત્રો. વિશ્વના જુદા જુદા ક્ષેત્રો માં થયેલા મહાન તત્વ ચિંતકો અને વિચારકો એ દરેક વિષયો ઉપર પોતાના વિચારો રજુ કરેલા છે જે અમે જુદા જુદા ગ્રંથો માંથી તમારા માટે મહાન વ્યકતીઓના વિચારો (Mahan Vyaktiona Vicharo) સંકલિત કરીને લાવ્યા છીએ. 

હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.
જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે
જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે
પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.

જે સ્વાર્થી માણસ પોતાની જ પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે , તેને નરકમાં પણ સ્થાન નથી.
અનંત શ્રદ્ધા અને બળ , એજ માત્ર સફળતાનું રહસ્ય છે.
દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી.
શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.

બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા પીળા દાંત બતાવવા વધુ સારૂ
કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.
આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.
ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.
મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.

શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.

મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ - આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે.
દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી , દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે.
કણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.

ક્ષમા આપવી એ ઉતમ છે , પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.
શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.

તરસ્યા ને પાણી પાવું , ભુખ્યાને રોટલો આપવો , અંધને રસ્તો બતાવવો - એ ઉત્કૃષ્ટ કર્મદાન છે.

  

જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.

શિક્ષક અર્કવાળો , તર્કવાળો , મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
વધારે પડતા કાર્યનો બોજો નહિ , પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી છે.

બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે , સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર.
ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોરવચન - આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ ધર્મ.

જો એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારૂ બોલશો.
આપણે સમયનું ધ્યાન નથી રાખતા , તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.
તમારો અહંકાર બીજાને કદાચ ડંખે , પણ તમારું તો પતન જ કરે.
અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ , તે સૌથી વધુ ગરીબ છે.
તમે આળસને માત્ર “આજ” આપશો , તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.

જાત ને બદલશો તો આખું જગત બદલાઈ જશે.

જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
આ પણ વાંચો : Latest 2022 Gujarati Status | Gujarati whatsApp status
સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.

હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. - આઇન્સ્ટાઇન
જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે જે દિવસે આપણે હાસ્ય ના હોઈએ.- ચાર્લી ચેપ્લીન

  

જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો.

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો , કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.
જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.
જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
પુસ્તકનું મુલ્ય રત્ન કરતાય અધિક છે , રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે. - ગાંધીજી
ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
કોઈ એક ઉંચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે , કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ.
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાના સારા લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યાર થી સવાર.
સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.
પુરુષાર્થ વિનાની સંપતિ, આત્મા વિનાનો આનંદ, માનવતા વિનાનું વિજ્ઞાન, સંસ્કાર
વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને ત્યાગ વિનાની પૂજા. આ સાત મહાપાપ છે. - ગાંધીજી
આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ.
મને આ વાત માં વિશ્વાસ છે - તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, ઓળખથી તમને સન્‍માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.- નારાયણ મૂર્તિ
પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. - મધર ટેરેસા
ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો.
ખેતરે પહોચો સૌથી પહેલા,ખાટલે પહોચો સૌથી છેલ્લા.
જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે.
તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો એ કામ કરો જ નહિ.
પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી.
સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે.
સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે , તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
બાળકોને કેળવવા એ એક કળા છે , એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ ભવિષ્યમાં મળશે.
દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે , આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ.
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય , તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહિ.

સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.
હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો.

કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.
વ્યવહારુ માણસ એ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે.
આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય.
ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,ભૂલ થઇ હોય તો સુધારી લો.
કામ કરવાનો વિચાર આવતાજ જેને , થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ.
જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ છે.
દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન.
ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
જે મળે તે ગમે એનું નામ સુખ.
માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
રાતે ઘસઘસાટ ઊંઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.
જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.
જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
સફળ થવું હોય તો બે જ રસ્તા છે , ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.
ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે. 
મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.
જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.
જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે , સમયની નહિ.
પ્રસન્નતા સૌને પ્રિય છે ખિન્નતા નહિ,
પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
પડવું એ પતન નથી, પડ્યા રહેવું એ પતન છે.
સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ ખરી સંસ્કૃતિ.
મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર.
વેરમાં હમેશા વાંધો હોય છે , જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
હૈ પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.
આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.
સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.
વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે એનું નામ સાહસ છે.
જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એ નહિ કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.
બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
કામથી મો ફેરવી લેવું, ગમો - અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.
પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.
જેની પાસે માં ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે એ માસ્તર.

    આવા આવનવા વિચારો , સુવાક્યો તથા પ્રેરણાત્મક લેખો માટે આમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અન્ય સગા - સબંધીઓ સાથે અને મિત્રો સાથે પણ શેર અવશ્ય કરો.

મુલાકાત બદલ આભાર. 

Read Also : Best Collection of Shayari, Status, Quotes, Suvichar For 2023

Post a Comment

0Comments

Post a Comment (0)