ગુજરાતી વાર્તા : નસીબવંતા ટીડા જોશી

Shayar
0

 


એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતાતે લોકોને કહેતા કે તે બધું જ જાણે છેતે બધાનું ભવિષ્ય કહી શકે છેતે ઘણા જ નસીબદાર હતા આથી જયારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું.

રાજ્યના રાજાએ એમના વિષે સાંભળ્યુંરાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યારાજાએ એમને સારો પગાર પણ આપ્યો.

એક દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઇ ગયાતેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયાખેડૂતની પત્ની રોટલા બનાવતી હતીટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે (કેટલી વખત ટપ ટપ થયુંએટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે.

રાજાએ ટીડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યુંરાજાએ ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છેટીડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે ૧૩ રોટલા બન્યા છે કારણકે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયુંરાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી સાચા હતારાજાએ એમને સારું ઇનામ આપ્યું.

ટીડા જોશી રાજાના મહેલમાં રહીને મજા કરતા હતાએક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયોમહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યોરાજાએ ટીડા જોશીને હાર ક્યાં છે તે જણાવવા કહ્યુંટીડા જોશીએ એક દિવસનો સમય માંગ્યો.

ટીડા જોશી ઘણા ગભરાઈ ગયા કારણકે એ જાણતા નહોતા કે હાર ક્યાં છેજુઠ્ઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊંઘી પણ ન શક્યાતેઓ બબડવા માંડ્યા:

"નીન્દરડી નીન્દરડી આવ".

મહેલમાં "નીન્દરડીનામની એક સ્ત્રી હતી અને એણે જ હારની ચોરી કરી હતીટીડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતાપણ તે સ્ત્રી સમજી કે ટીડા જોશી જાણી ગયા છે કે એણે જ હાર ચોર્યો છેતે ટીડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધોતે માફી માંગવા લાગીટીડા જોશી તો માની જ ન શક્યાકે એમના આવા સારા નસીબ છેએમણે રાજાને હાર આપ્યોરાજા ઘણા ખુશ થઇ ગયા અને એમને સોનામહોરો આપી.

એક દિવસ રાજા અને ટીડા જોશી ફરવા નીકળ્યા હતારાજાએ એક તીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધુંએમણે ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છેહવે ટીડા જોશી સમજી ગયા કે એમના જુઠ્ઠાણાંનો અંત આવી ગયો છેરાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડેએમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું.

તેઓ ગાવા લાગ્યા:

"ટપ ટપ કરતાં તેર જ ગણ્યા (૧૩ રોટલા ટીપાયા હતા).
નીંદરડીએ આપ્યો હાર (નીંદરડી નામની નોકરાણી).
કાં રાજા તું ટીડાને માર?

આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમનું જુઠ્ઠાણું ચાલ્યું છે તો રાજાએ "ટીડા"ને એટલે કે એમને ન મારવા જોઈએરાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી તીડું નીકળ્યુંરાજા સમજ્યા કે જોશીએ "તીડાજ કહ્યું છેરાજાને લાગ્યું કે ટીડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે!

ટીડા જોશી આટલા બધા સારા નસીબવાળા હતા!

Post a Comment

0Comments

Post a Comment (0)